Monday, October 2, 2023
Home Blog

ગેસ ને દુર કરવા માટેના બેસ્ટ અસરકારક ઘરેલુ ઉપાયો.


મરી તીખાં, તીક્ષ્ણ અને અગ્નિને પ્રદિપ્ત કરનાર, કફ તથા વાયુને મટાડનાર ગરમ, પિત્ત કરનાર અને રુક્ષ છે. તેમ જ શ્ર્વાસ, શૂળ-પીડા અને કૃમિને મટાડે છે.

(1) કાળાં મરી ચિત્રક અને સંચળ સમાન વજને લઇ બારીક લસ્ત્રગાળ ચર્ણ કરવું. એને મરીચાદિ ચૂર્ણ કહે છે. ½ થી 1 ચમચી જેટલું આ ચૂર્ણ તાજી, મોળી છાસ સાથે સવાર-સાંજ લેવાથી ગેસ, આફરો, અપચો, મંદાગ્નિ, પચ્યા વગરના ઝાડા, ઉદરરોગ, મસા, કબજિયાત વગેરે મટે છે.

(2) રાત્રે સુતી વખતે અજમા સાથે ચપટી મીઠું મેળવીને ખાવાથી ગેસની તકલીફવાળી વ્યક્તિને લાભ થાય છે.

(3) લીંબુ વાયુનાશક છે.

(4) મળાના રસમાં લીંબુનો રસ મેળવી પીવાથી ભોજન પછી પેટમાં થતો દુ:ખાવો કે ગેસ મટે છે.

(5) આદુનો 10 ગ્રમ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી ગેસ અને ઓડકાર મટે છે.


(6) સંચળ, સિંધવ, મરી ને સૂંઠનો ભકો મધમાં પીવાથી ગેસ થતો નથી.

(7) બે લીંબુના ચાર ભાગ કરી એક પર મરીનું, બીજા પર સિંધવનું, ત્રીજા પર ડીકામરીનું અને ચોથા પર સંચળના ચૂર્ણની ઢગલી કરી, અગ્નિ પર ગરમ કરી વારાફરતી રોજ સવારે ગરમ ગરમ ચૂસવાથી ગેસની ફરિયાદ દૂર થાય છે.

(8) દિવેલમાં સાંતળેલી હરડેના ટૂકડા જમ્યા પછી સોપારીની જેમ મોમાં રાખઈ ચૂસવાથી ગેસની તકલીફ ઓછી થાય છે.

શું તમને ચામડીનો રોગ છે? તો આ રહયો તેનો ઘરેલુ ઉપચાર.

સંતરાની છાલનો પાવડર ગુલાબજળમાં મેળવી અડધો કલાક ચામડી પર લગાડી રાખો. અથવા દૂધ અને દીવેલ સરખે ભાગે નિયમિત રીતે માલિશ કરો.

કારેલાનાં પાનનો રસ ચોપડવાથી ચામડીના રોગો મટે છે. કાકડીને ખમણીને તેનો રસ ચોપડવાથી ચામડી સુંવાળી બને છે.


ચામડી ફાટતી હોય તો તેના પર વડનું દૂધ લગાવો. મૂળાના રસમાં થોડું દહીં નાખી ચહેરા પર લગાવવાથી ચામડી ચમકીલી બને છે.

ઠંડા પાણીમાં લીંબુ નિચોવીને સ્નાન કરવાથી ચામડી સુંવાળી બને છે. સ્નાન કરતાં પહેલાં અડધા કલાક અગાઉ શરીર પર દૂધની મલાઈનો લેપ કરવો.

લીમડાનાં પાનનું ચૂર્ણ છ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટે છે. બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે.

હરડે અને ફટકડીનું પાણી અળાઈ પર લગાવવાથી અળાઈ મટે છે. સવારે બબ્બે તોલા મધ ઠંડા પાણીમાં મેળવીને પીવાથી ખંજવાળ, ફોલ્લી મટે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈ પણ વ્યક્તિએ પોતાની તાસીર પ્રમાણે ઉપચાર કરવો.

શું તમને પેટમાં દુખાવો થાય છે? તો આ ઘરેલુ ઉપચાર જાણી લો.

તુલસીનો રસ અને આદુંનો રસ સરખે ભાગે લો.

પેટમાં દુ:ખતું હોય તો અજમો ફાકીને ઉપર ગરમ પાણી પીવું. આદું અને લીબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ અને ચપટી સિંધવ નાખીને પીઓ.

શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લો. પેટમાં ગેસની તકલીફ હોય તો અજમો અને સંચળનું ચૂર્ણ ફાંકો.

પેટમાં ગોળો ચડ્યો હોય તો કોકમનો ઉકાળો કરી તેમાં મીઠું નાખી પીઓ. આંતરડામાં તકલીફ હોય તો ફુદીનાના રસમાં મધ મેળવીને ચાટો.

પેટમાં ચૂંક ઊપડી હોય તો રૂપિયા ભાર તલના તેલમાં અડધો તોલો હળદર મેળવીને ખાઓ.

રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પેટની ચૂંક અને અજીર્ણ મટે છે.

ઉકળતા પાણીમાં સૂંઠનું ચૂર્ણ નાખી, ઠંડું પડે ત્યારે પીવાથી ગેસ મટે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈ પણ વ્યક્તિએ પોતાની તાસીર પ્રમાણે ઉપચાર કરવો..