ગુજરાતના શિક્ષમમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ગુજરાત કેબિનેટની મીટીંગ બાદ ફી મામલે મોટી જાહેરાત કરી હતી.
- ગુજરાત કેબિનેટની બેઠક બાદ સરકારની પત્રકાર પરિષદ
- ફી માફીને લઈને કરી જાહેરાત
- સરકાર દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત
રાજ્ય સરકારે શાળાની ફીમાં કરી 25 ટકા રાહતની જાહેરાત કરી છે. સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. સ્કૂલની અન્ય પ્રવૃતિની ફી ભરવાની રહેશે નહીં.
25 ટકા ફી માફીનો નિર્ણય ગુજરાત બોર્ડ અને CBSEની શાળાઓમાં લાગુ પડશે. જે લોકોએ વધારે ફી ભરી દીધી છે તેમને ફી પરત કરવી પડશે.
અમદાવાદમાં વિરોધ
ફી માફીના મુદ્દે અમદાવાદમાં ઉગ્ર વિરોધ ઉઠી રહ્યો છે. અમદાવાદમાં વાલીમંડળ અને વાલીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. 100 ટકા ફી માફ કરવા પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ભુપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેરાત કરે તે પહેલા વિરોધ થયો હતો.
ગુજરાત જન અધિકાર મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણ કલેકટર ઑફિસ બહાર વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.. વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફીની માંગ સાથે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ એટલું જ નહીં. વિદ્યાર્થીઓને 50 ટકા ફી માફ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી હતી.