Sunday, December 3, 2023
Home Bhavnagar આપણું ભાવનગર ફેસબુક પેજ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગરના આયુર્વેદ વૈદ્ય...

આપણું ભાવનગર ફેસબુક પેજ દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગરના આયુર્વેદ વૈદ્ય આવે છે રોજ ફેસબુક પર લાઈવ..

આપણું ભાવનગર ફેસબુક પેજ પર લોકલોક ડાઉન દરમ્યાન સાહિત્યકાર, ફિલ્મ એક્ટર, સિંગર અને હાસ્યકારને ફેસબુકમાં લાઈવ કર્યા બાદ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત ભાવનગરના આયુર્વેદ વૈદ્ય આવે છે રોજ ફેસબુક પર લાઈવ…

ભાવનગર : હાલ લોકડાઉનમાં ઘરે સમય પસાર કરી રહેલા ભાવનગરની જનતાને માટે ‘આપણું ભાવનગર’ ફેસબુક પેજ ખાસ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન એપિસોડ લઈને આવ્યું છે.

જેમાં ‘આપણું ભાવનગર’ ના ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલા આ ફેસબુક પેજના માધ્યમથી રોજ નવા નવા જાણીતા ૨૫ જેવા કલાકારોને આપણું ભાવનગર ફેસબુક પેજ પર લાઈવ કર્યા હતા. જેની સફળતા બાદ અને ભાવનગર વાસીઓની રજૂઆત ને ધ્યાને લઈ હાલ સ્વાસ્થ્ય જાગૃતિ અભીયાન અંતર્ગત રોજ અલગ અલગ રોગોના નિષ્ણાત આયુર્વેદ વૈદ્ય ને લાઈવ કરી રહ્યા છે…

કોરોનાની મહામારીને અટકાવવા માટે લોકડાઉન લાગુ છે. ત્યારે સૌ ભાવનગરની જનતા ઘરે રહીને લોકડાઉનને અસરકારક બનાવી રહ્યા છે. આ દરમિયાન ઘરે બેઠા ભાવનગર વાસીઓ સુધી આ આપણું ભાવનગર ફેસબુક પેજ તરફથી કંઈકને કંઈક નવું પીરસવામાં આવી રહ્યું છે.

ભાવનગરની જનતાને આ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ફેસબુક પર લાઈવ શરૂ થવાથી ખૂબ વખાણ થઈ રહ્યા છે, ભાવનગર વાસીઓ ઘરે બેઠા મોબાઇલમા પરિવાર સાથે આયુર્વેદનું જ્ઞાન લઈ રહ્યા છે..

અને હાલ તમામ આયુર્વેદ વૈદ્ય તમામ ગુજરાતીઓને કોરોના થી ગભરાવો નહિ પણ તેની સાવચેતી રાખવાની સલાહ આપી ઘરે બેઠા ઓનલાઈન લાઇવ થઈ બધા ને જ્ઞાન પૂરું પાડી રહ્યા છે…

આપણું ભાવનગર ફેસબુક પેજમાં ઘણા વૈદ્ય લાઈવ આવી ચૂક્યા છે જ્યારે ઘણા હવે આગળ આવશે જેમાં. વૈદ્ય. હિરલ કુમાર દાણી, વૈદ્ય અનિલ વાઘેલા. વૈદ્ય કાશ્મીરા કોઠારી. વૈદ્ય તુષાર ત્રિવેદી. ડો. આર.જે. જાડેજા સાહેબ ( યોગ) ડો. નરેશ સૂચક (સૂચક સાહેબ ). વૈદ્ય રાજુભાઈ પાઠક. વૈદ્ય પ્રવીણ ભાલીયા. ભગીરથ શુક્લા. (એક્યુપ્રેસર). વૈદ્ય મિલન દવે. વિગેરે જ્ઞાન પીરસી રહ્યા છે….

Link- Fb.com/apnubhavnagar

RELATED ARTICLES

Most Popular

Recent Comments