કાઠીયાવાડી ઘોડાઓએ રંગ રાખ્યો: ઘોડે સવારો 5 દિવસમાં 220 કિમી કાપી તળાજાથી સોમનાથ પહોંચ્યા..
સામાન્યતઃ ઘોડાઓ 20 થી 25 કિલોમીટર ચાલતા હોય છે પરંતુ કાઠીયાવાડી ઘોડાઓએ રંગ રાખ્યો. તળાજા થી સોમનાથ માત્ર પાંચ દિવસમાં પહોંચી ગયા હતા. આ નવ કાઠીયાવાડી ઘોડાઓ રોજના પચાસ પચાસ કિલોમીટરનું અંતર કાપતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાઠિયાવાડી ઘોડા રોજના માત્ર 15 થી 20 કિલોમીટર અને 150 કિલોમીટર જ અંતર કાપી શકે. પરંતુ આ ઘોડા રોજના 50 કિલોમીટર સાથે 220 કિલોમીટર ચાલ્યા હતાં.

ચેતક અશ્વ મંડળી ગ્રુપ દ્વારા અશ્વ પર તળાજા થી સોમનાથ ધ્વજારોહણનું આયોજન કર્યું હતું. તળાજા એભલ દ્વારથી કાઠીયાવાડી ઘોડાઓને સોમનાથ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. નવી જૂની કામરોળ, નવા સાંગાણા, ઠળિયા, પીપરલા ગામના હોર્સ રાઈડરો દ્વારા ઘોડા પર તળાજા થી સોમનાથનું આયોજન કર્યું હતું.
220 કિલોમીટર થી પણ વધુ અંતર હોવા છતાં કાઠીયાવાડી ઘોડા પટ્ટી, હીર, બાવડી, તુલસી, રોજી, દેવયાની, ભૂતડ, રાની, ધવલ સહિતના ઘોડા કોઈપણ થાક કે શારીરિક અસક્ષમ રહ્યા વગર રોજના પચાસ પચાસ કિલોમીટર અંતર કાપે માત્ર પાંચ જ દિવસમાં તળાજા થી સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં અશ્વ ચાલકોએ સોમનાથ ધ્વજારોહણ કર્યું હતું.

આ રાઈડનુ નામ ઇતિહાસ ગૌરવ યાત્રા છે તળાજા વીર એભલજી વાલા થી સોમનાથ વીર હમીરજી ગોહિલ સુધીની એક ઇતિહાસ થી બીજા એક વીર પુરુષ થી બીજા વીર પુરુષ સુધિની યાત્રા એટલે ઇતિહાસ ગૌરવ યાત્રા પ્રારંભ તારીખ 16 જાન્યુઆરી તળાજા થી 21 જાન્યુઆરી સોમનાથ મહાદેવ આ યાત્રા દ્વારા અશ્વ પ્રેમી મિત્રો આત્યારના યુવાનોને એક સંદેશો આપવાના હેતુસર પૂર્વજોએ જે બલિદાન આપ્યુ છે એ લોકો વિસરી રહ્યા છે તેમના ઉજળા ઇતિહાસને અમર રાખવા ઇતિહાસ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું હતું.

ચેતક અશ્વ મંડળી તળાજા દ્વારા તળાજા થી સોમનાથ 220 કિમી શુદ્ધ કાઠીયાવાડી ઘોડા સાથે મનવીરસિંહ અનિરુદ્ધસિંહ સરવૈયા, જયવીરસિંહ અનિરુદ્ધસિંહ સરવૈયા , શિવરાજસિંહ કિરીટસિંહ સરવૈયા, મિત્રરાજસિંહ રામદેવસિંહ સરવૈયા, દશરથસિંહ અરવિંદસિંહ સરવૈયા, જયરાજસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયા, સિદ્ધરાજસિંહ અરવિંદસિંહ સરવૈયા, ઉર્જિતસિંહ પરાક્રમસિંહ ગોહિલ, શિવરાજભાઈ આલુભાઈ મોભ સહિતના ઘોડેસવાર જોડાયા હતા.