આ છે ! ભાવનગરનાં યુવરાજ : મૂછો છે, તેમની ઓળખતે મની બૉડી સામે સલમાન પણ પડે પાછો..
ભાવનગરના પ્રિન્સ હોવાને કારણે તેઓ હંમેશા લોકોની મદદ કરે છે અને તમે તેમની સાથે વાતચીત પણ આરામથી કરી શકો છો. તેમને મળીને તમને લાગશે ખરેખર આ વ્યક્તિની નમ્રતા સલામને લાયક છે.
જયવીરરાજ સિંહ પોતાની ઓળખના કારણે પ્રખ્યાત છે પરંતુ તે સિવાય એક અનોખી ઓળખ છે તે છે બોડી બિલ્ડીંગ. તેઓ પોતાના વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતાના કારણે બૉડી બિલ્ડિંગ, હોસ્પિટાલિટીથી લઈને રાજકારણ સુધી પ્રખ્યાત છે.
વિવિધ માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે જયવીરરાજ સિંહનો જન્મ 27 ઓક્ટોમ્બર, 1990ના રોજ થયો હતો. જયવીરરાજસિંહ પાસે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી છે. આ ઉપરાંત તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં આવેલ લેસ રોસેસમાંથી એન્ટ્રપ્રિન્યરશિપ એન્ડ સ્પોર્ટસ મેનેજમેન્ટ માસ્ટર ડિગ્રી ધરાવે છે.
તે એક ફિટનેસ કન્સલ્ટન્ટ છે જે બોડી બિલ્ડિંગ વિશે પેશનેટ છે તેમજ ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે.
રજવાડી પહેરવેશમાં ભાવનગર યુવરાજ જયવીરરાજ સિંહજી ગોહિલ (ભાવનગર સ્ટેટ)
સંતરામપુરની રાજકુમારી સાથે લગ્ન, ગુજરાતના સંતરામપૂરની રાજકુમારી કૃતિરંજની દેવી પૂર્વ મહારાજ પરંજ્યાદિત્ય પરમાર અને મહારાણી મંદાકિની કુમારીના દીકરી અને કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહના નાતી છે. તેમના લગ્નમાં વસુંધરારાજે, ક્રિકેટર અજય જાડેજા સહિતના મહાનુભાવો હાજર રહયાં હતા.
સ્ટાઈલમાં ઍક્ટર્સને પણ પાછા પાડે જયવીરરાજ જીન્સ ઉપરાંત તેમનો પરાંપરાગત રજવાડી પોશાક પણ પહેરે છે. તેમની રસ્ટિક વળાંક વાળી હેન્ડલ બાર મૂછો તેમની ઓળખ છે.
જયવીરરાજ સિંહ બાઈક, કાર્સ અને ટ્રાવેલિંગના પણ શોખીન છે. ઍડવન્ચર સ્પોર્ટનો પણ શોખ ધરાવે છે.
ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલના વંશના પ્રિન્સ જયવીરરાજ સિંહ ગોહિલ ઘણી વખત બૉલીવુડ સ્ટાર્સ સાથે જોવા મળતાં હોય છે.
જયવીરરાજસિંહ ગુજરાતમાં ખુબ જ પ્રખ્યાત છે. પ્રેમ અને આદર સન્માનને કારણે લોકો તેમના ખૂબ જ સ્નેહ વરસાવે છે.
કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો ભારતમાં મહત્વનો ફાળો છે ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા.
આ ઉપરાંત પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા.
આઝાદી પછીનાં સમય દરમ્યાન રજવાડાં એકત્રીકરણ માટે જ્યારે વલ્લભભાઈ પટેલ મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ ને મળે છે ત્યારે વલ્લભભાઈ પટેલ અખંડિત અને એક ભારતની વાત જ્યારે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલને કરે છે ત્યારે 1800 પાદરનાં ધણી પોતે સૌપ્રથમ પોતાનું રજવાડું વલ્લભભાઈ પટેલને સોંપે .છે