370 હટાવ્યા બાદ મોદી સરકારનો મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
J&Kથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ મોદી સરકારનો મોટો નિર્ણય,
નોટિફિકેશન મુજબ કૃષિની જમીન નહીં ખરીદી શકાય
જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
નવી દિલ્હી/શ્રીનગરઃ દેશનો કોઈ પણ નાગરિક જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં હવે જમીન ખરીદી શકે છે.
ગૃહ મંત્રાલયે (Ministry of Home Affairs) આ આશયની અધિસૂચના મંગળવારે બહાર પાડી દીધી છે. જોકે આ અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે
કે કૃષિ માટે જમીન નહીં લઈ શકાય. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા જાહેર કરવામાં આવેલી અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે
આ આદેશનો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (કેન્દ્રીય કાયદાને અનુકૂળ) ત્રીજા આદેશ – 2020 કહેવામાં આવશે.
Ministry of Home Affairs notifies UT of Jammu and Kashmir Reorganisation (Adaptation of Central Laws) Third Order, 2020. pic.twitter.com/cp00fIaSiJ
— ANI (@ANI) October 27, 2020
કેન્દ્ર દ્વારા અધિસૂચના જાહેર કર્યા બાદ આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 1897ના સામાન્ય આદેશ અધિનિયમ આ આદેશની વ્યાખ્યા માટે લાગુ થશે.
આવું એટલા માટે હશે કારણ કે આ ભારતના સમગ્ર ક્ષેત્રમાં લાગુ કાયદાની વ્યાખ્યા માટે હશે.