તમે ચોટીલામાં જેવા પ્રવેશ કરો ઈટલે દૂરથી જ ડુંગર પર માં લખેલો શબ્દ દેખાય, જે સૌ કોઈને માંની હયાતી હોવાનો કરાવી રહ્યો છે, અહેસાસ.ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્રના રાજકોટના ચોટીલા ડુંગર આવેલો છે તેની પર માં ચામુંડામાં બિરાજમાન છે. જય માં ચામુંડા બોલતા જ સુરક્ષા, શાંતી ને ભક્તિ નો અહેસાસ થાય છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અને આશરે 660 જેટલા પગથિયાં ઉપર ચડીને માંના દર્શને જાય છે.
આ મંદિરમાં સમગ્ર ભારત ભરમાંથી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા લોકોને આપ્યા છે કહેવાય છે કે ચામુંડામાં ચોટીલાના ડુંગરે હાજરા હજુર છે. તો ચાલો જાણીએ માતાજીના ઇતિહાસ વીશે.
હજારો વર્ષ પહેલાં આ વિસ્તારમાં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા. અહીં આજુ બાજુ રહેતા લોકો ને તે ખૂબ જ ત્રાસ આપતા હતા.
એ ત્રાસથી બચવા માટે ત્યાં ના લોકો એ અને ઋષિ મુનિઓ એ માં પાર્વતીની આરાધના કરી ત્યારે માં પાર્વતી પ્રશન થયા અને આ બે રાક્ષશો નો વધ કરવા માટે પૃથ્વી પર બે સ્વરૂપો ધારણ કર્યા.
અને મહા શક્તિ રૂપે અવતરી અને આ બે રાક્ષસોનો વિનાશ કર્યો હતો. આ બે રાક્ષસ ચંડ અને મુંડનો નાસ કર્યો એટલા માટે ચંડ મુંડ વીનાસીની માં ચંડી ચામુંડા માં કહેવાયા.માતાજી એ બેસ્વરૂપો ધારણ કર્યા હતા એટલે જ માતાજી ની પ્રતિમા દ્વિમુખી એટલે કે બે મુખ વાળી જોવા મળે છે.
એવું કહેવાય છે કે જો કોઈ એ તમારા પર મેલી વસ્તુ નો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવી ના માત્ર સ્મરણ થી તમારીમાં રક્ષા કરવા માટે આવી પહોંચે છે. ચામુંડા માતાજીનું વાહન સિંહ છે. કેહવાય છે આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે.
એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી. ખુદ પૂજારી પણ ડુંગર પરથી નીચે આવી જાય છે.
માતાજીની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ રહેતું નથી. માતાજીની રક્ષા માટે સાક્ષાત કાલ ભૈરવ પણ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો ઘ્વારા સાંભળવા મળ્યું છે.
અને તે થી જ જે કોઈ ચોટીલા વાડીમાં ચામુંડાના દર્શન કરી લે તો જીવન ભર ના દુઃખ દૂર થાય છે.