દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાની માટે બીજી મોટી યોજનાની ઘોષણા કરી છે. તેમણે જાહેરાત કરી કે દિલ્હીના રસ્તા વિદેશી માર્ગોની જેમ બનાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે રસ્તાઓને સંપૂર્ણ રીતે ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. આ માટે છેલ્લા ઘણાં વર્ષોથી પ્રયાસો ચાલી રહ્યા હતા. હવે દિલ્હીના 9 રસ્તાને ટ્રાયલ બેઝ પર ફરીથી ડિઝાઇન કરવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે રસ્તા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આજે બે રસ્તાના કામના ઓર્ડર મુકવામાં આવશે. અન્ય તમામના વર્ક ઓર્ડર નવેમ્બર સુધીમાં મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ તમામ રસ્તા એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. આ રસ્તાઓ ખૂબ સુંદર હશે, જેમ યુરોપિયન દેશોના રસ્તાઓ. અમે આશા રાખીએ છીએ કે આનાથી અકસ્માતોમાં પણ ઘટાડો થશે.
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીની ગલીઓમાં જગ્યા વધારવામાં આવશે. દિલ્હીના માર્ગો પરના ફુટપાથ 5-10 ફૂટ હશે. આ સિવાય સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પેવમેન્ટ પરના વૃક્ષો માટે જગ્યા બનાવવામાં આવશે, વચ્ચે જગ્યા છોડશે.
તેમજ ઇ-રિક્ષા માટે અલગ જગ્યાઓ અને સ્ટેન્ડ બનાવવામાં આવશે. રસ્તાઓ સાથેની તમામ ડ્રેઇનોને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે વિદેશી દેશોની જેમ સ્ટ્રીટ ફર્નિચર પણ દિલ્હીના માર્ગો પર જોવા મળશે.