મિત્રો , વર્તમાન સમય મા નાણા એ મનુષ્ય ના જીવન ની એવી અગત્ય ની જરૂરીયાત બની ગઈ છે કે જે વ્યક્તિ પાસે પુરતા નાણા ના હોય તે આ ધરા પર , વિશ્વ પર અસ્તિત્વ જ નથી ધરાવતો તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થઈ જાય છે. તે પોતાની જરૂરીયાતો તથા પોતાના સ્વપ્નો પૂર્ણ કરી શકતો નથી.
હાલ તમારે કોઈપણ કાર્ય ને પૂર્ણ કરવુ હોય તો તેના માટે સૌપ્રથમ નાણા ની આવશ્યકતા પડે છે. નાણા મેળવવા માટે વ્યક્તિ દિવસ-રાત અથાગ પરિશ્રમ કરતો હોય છે. પરંતુ તેને તેના પરિશ્રમ ના પ્રમાણ મા યોગ્ય વળતર પ્રાપ્ત થતુ નથી. શુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આટલો અથાગ પરિશ્રમ કરવા છતા પણ યોગ્ય પરિણામ કેમ નથી મળતુ ? આપણે આપણી રુટીન લાઈફ મા ઘણી એવી નાની-મોટી ભૂલો કરીએ છીએ જે આપણી નાણા ની અછત નુ કારણ બને છે.
જ્યોતિષશાસ્ત્ર મા આ સમસ્યા વિશે ના એવા નિવારણો બતાવવા મા આવ્યા છે કે જેના લીધે આપણા ઘર મા ધનલાભ થઈ શકે છે. મિત્રો , જો તમે તમારા ઘર ના વાસ્તુ પ્રમાણે અમુક પગલા અનુસરશો તો તમારા ઘર મા ધન નો ખોટો વ્યય નહી થાય. તો ચાલો , જાણીએ કયા છે આ પગલાઓ ?
કાચ નુ પાત્ર :
આ યાદી મા સૌપ્રથમ વસ્તુ આવે તે છે કાચ નુ પાત્ર. જો તમે તમારા ઘર ના મુખ્ય દ્વાર પર એક કાચ નુ પાત્ર મૂકી દો તો તમારી સર્વ સમસ્યા નુ સમાધાન થઈ જશે. જો તમે કાચ નુ કોઈપણ પાત્ર ઘર ના દ્વાર પાસે રાખો તો તમારા બધા જ કાર્યો પૂર્ણ થઈ જશે તથા ઘર મા સકારાત્મક વાતાવરણ ફેલાશે.
માળા :
આ યાદી મા અન્ય વસ્તુ છે માળા. હવે માળા તો અનેક પ્રકાર ની આવે છે તેમા થી કઈ માળા લેવી તે મૂંઝવણ અનુભવાશે ? તો તમે તમારા ઘર ના મુખ્ય દ્વાર પર બીલીપત્ર તથા આંબા ના પર્ણો ની માળા બનાવી ને લગાવો તો તે શુભ ગણાય છે. ઘર મા સકારાત્મકતા આવે છે તથા નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને તમારી બધી જ સમસ્યાઓનો અંત આવે છે.
લક્ષ્મીજી ના પગલા :
આ યાદી મા ત્રીજી વસ્તુ છે લક્ષ્મીજી ના પદચિહ્નો. જે તમારા ઘર મા રહેલી તમામ બાધાઓ નુ નિવારણ કરશે. ઘર ના મુખ્ય દ્વાર પર લક્ષ્મીજી ના પદચિહ્નો રાખવા થી ઘર મા સમૃધ્ધિ આવશે.
શુભ – લાભ :
આ યાદી મા ચોથી વસ્તુ છે શુભ – લાભ નુ ચિહ્ન. તમે તમારા ઘર , ઓફીસ તથા દુકાન ના મુખ્ય દ્વાર પર શુભ – લાભ નુ ચિહ્ન લગાવો તો તમારા ઘર મા લક્ષ્મીજી નો વાસ થશે.
સાથિયો :
આ યાદી મા પાચમી વસ્તુ છે સાથિયો. જો તમારા ઘર મા કંકાસભર્યુ વાતાવરણ રહેતુ હોય તથા અશાંતિ ફેલાયેલી હોય તો તમારા ઘર ના મુખ્ય દ્વાર પર સાથિયો બનાવવો અતિ શુભ ગણાય છે. જેથી ઘર મા રહેલી નેગેટિવ શક્તિઓ દૂર થાય છે અને ઘર નુ વાતાવરણ શાંતિમય બને છે.
ઊંબરો :
આ યાદી મા અંતિમ વસ્તુ છે ઘર નો ઉંબરો. જો તમે નાણા ને લગતી કોઈ સમસ્યા થી પીડાતા હોવ તથા તમારા ઘર મા નાણા ટકતા ના હોય તો તમારા ઘર ના મુખ્ય દ્વાર પાસે આવેલા ઉંબરા પર દિપક પ્રગટાવી તેનુ પૂજન કરવુ જેથી તમારી ધન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થશે.