ગિરનારની લીલી પરિક્રમા શા માટે કરવામાં આવે છે
ગિરનાર ની લીલી પરિક્રમા કેમ કરવામાં આવે છે તે વિશે જાણો!!
લગભગ 30000 વર્ષ પહેલાં, પૃથ્વી પર પૃથ્વીની ગતિ પ્રતિ કલાક 25000 કિમી હતી.
દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તે પર્વત માં પાંખો હતી, બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વતની પાંખો કાપી નાખી..
જેથી પવનની ગતિ પ્રતિ કલાક 20 થી 100 કિ.મી. થઈ ગઈ. તે સમયે ગિરનારનો પર્વત દરિયામાં છુપાયેલો હતો, ગિરનાર હિમાલયનો પુત્ર છે તેથી તે માતા પાર્વતી ના ભાઈ થાય, માતા પાર્વતી અને શિવ ના લગ્ન સમારોહ 20000 વર્ષ પહેલાં હિમાલયમાં થયો હતો.
તેની બહેનનાં લગ્નમા હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો, અને સમુદ્રથી માત્ર 50 કિ.મી. દૂર જમીન પર સ્થિર થયો. ગિરનારને હિમાલય જવા માટે કોઈ શકય ન થયું તેથી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા,
શિવ પાર્વતીના લગ્નમાં સર્વે ભગવાન ઋષિ મુનિ, નવ ગ્રહ અષ્ટસિદ્ધી, નવનિધી, 52 વીર, 64 દેવી,11 જળદેવતા, નવનાગ, અષ્ટ વસુ, કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે 4 દિવસ ગિરનારની પરિક્રમા કરી,
તે સમય દરમિયાન બધા દેવી દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા હતા, અને ત્યારથી આજે પણ કાર્તિક એકાદશી થી કાર્તિક પૂર્ણિમા સુધી તમામ દેવી-દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રૉકાણા હતા.
અને આ હેતુ માટે આજે પણ તે જ પરમ્પરા રીતે જ ગિરનાર ની લીલી પરિક્રમા કરવામાં આવે છે.અને લાખોની સંખ્યામાં લોકો પરિક્રમામા આવે છે,