જાણો!! હરસ શું છે અને તેનોઉપચાર વિષે.
હરસ જે દુશ્મનની માફક પ્રાણનો નાશ પણ કરી શકે છે. તેને અર્શ પણ કહેવામાં આવે છે, વાતાદિ- દોષોના ત્વચા -માસ -મેદ તથા તે જગ્યાના રક્તને દુષિત કરી ગુદાસ્થાને નાના પ્રકારની આકૃતિના માંસના અંકુરો ઉત્પન્ન કરે તેને અર્શ – હરસ કહેવામાં આવે છે.
હરસ થવાના કારણો–
- તીખા તૂરા કડવા લુખા ઠંડા અને વાસી ભોજન નિયમિત સેવન કરવું,
- પિકી તળેલી તેલ મરચા વાળી વસ્તુ બેકરીની વસ્તુઓ નિયમીત સેવન કરવું,
- દારૂનું વ્યસન કરવાથી તમાકુનું વ્યસન કરવાથી ઇત્યાદિ વ્યસન કરવાથી,
- સમય વીતી ગયા બાદ ભોજન કરવાથી,
- વધારે મહેનત કરવાથી,
- વધારે ઉપવાસ કરવાથી,
- વધારે તળકે ફરવાથી,
હરસના લક્ષણો–
- મલ ત્યાગ સમયે દુખાવો થાય છે
- મલ ત્યાગ સમયે લોહી પડે છે
- મલ ત્યાગ નિયમિત થતો નથી
- કટકે-કટકે થાય છે
- ભૂખ નથી લાગતી
- પગ પેડુમાં દુખાવો થાય છે
- નબળાઈ લાગે છે
- વધારે પ્રમાણમાં રક્ત સ્ત્રાવ થવાથી ચક્કર આવે.
હરસની ચિકિત્સા–
- છાશનું સેવન કરવું
- હરડે ચૂર્ણ રોજ રાત્રે લેવું
- નાગકેસર ચૂનો માખણ સાથે લેવું
- ચિત્રકાદિવટી લેવી
- લઘુ અને સુપાચ્ય ખોરાક લેવો
- હરડે અને સૂંઠ ચિત્રકનો ઉકાળો કરી પીવો
- ગરમ પાણી નો શેક કરવો (કટિબસ્તિ લેવી)
- ત્યારબાદ કાશીશાદી કે જાત્યાદિ તેલ લગાડવું ,
- સુરણ, ચિત્રક, સુઠ અને મરીનું ચુર્ણ ગોળ સાથે લેવું.
- તેમજ રેચક વસ્તુ આપવી.