કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ નિર્ણયથી અર્થવ્યવસ્થાને આંચકો લાગ્યો છે અને ગરીબ-મજૂરો માટે પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.
હજારો મજૂરો સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને વતન પરત ફરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોનો ઉત્સાહ વધારવા માટે દેશભરના લોકપ્રિય ગાયકોએ એક ગીત તૈયાર કર્યું છે જે દેશની કપરી પરિસ્થિતિમાં લોકોનો ઉત્સાહ વધે તે માટે બનાવવામાં આવ્યું છે.
દેશભરના લોકપ્રિય ગાયકોએ એક ગીત તૈયાર કર્યું..
આ ગીતનું આખું નામ છે વન નેશન વન વોઇસ, જયતુ જયતુ ભારતમ..
તેને ગાવા માટે દેશનાં મહાન ગાયિકા લતા મંગેશકરે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે નમસ્કાર, આપણા ISRAના ગુણવાન કલાકારોએ એક થઈને આત્મનિર્ભર ભારતની ભાવનાથી પ્રેરિત આ ગીતનું નિર્માણ કર્યું છે.
यह गीत हर किसी को उत्साहित और प्रेरित करने वाला है। इसमें आत्मनिर्भर भारत के लिए सुरों से सजा उद्घोष है। https://t.co/N6qy4BaCfI
— Narendra Modi (@narendramodi) May 17, 2020
જે સમગ્ર દેશના નાગરિકો અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણે અર્પણ કરીએ છીએ. જયતુ ભારતમ. લતા મંગેશકરે ટ્વિટ કર્યું..
नमस्कार.हमारे ISRA के बहुत गुणी २११ कलाकारोंने एक होकर आत्मनिर्भर भारत की भावना से प्रेरित इस गीत का निर्माण किया है ,जो पूरे भारत की जनता को और हमारे आदरणीय प्रधानमंत्री नरेंद्रभाई मोदीजी को हम अर्पण करते हैं.जयतु भारतम् @narendramodi ,@SangeetSetuIn https://t.co/qixHaq0AV2
— Lata Mangeshkar (@mangeshkarlata) May 17, 2020
વડાપ્રધાન મોદીએ લતા મંગેશકરની ટ્વિટનો જવાબ આપ્યો અને સાથે સાથે આ ગીતની પ્રશંસા કરીને લખ્યું આ ગીત તમામ માટે ઉત્સાહ અન પ્રેરિત કરનારું છે. તેમાં આત્મનિર્ભર ભારત માટે સૂરોથી સજાવેલો ઉદઘોષ છે.