આપણા શરીરમાં કોઈપણ રોગ થયો હોય તો તેના લક્ષણોની અગાઉથી ઓળખ થઈ જાય તો સમય પહેલાં જ મોટી બીમારીથી બચી શકાય અને યોગ્ય ઈલાજ કરાવી શકાય છે.
મોટા ભાગના કિડનીનાં રોગો પણ ભેદી અને છૂપા હોય છે. આ રોગો ગુપચુપ પોતાનું કામ કરતાં રહીને આપણને નુકસાન પહોચાડી શકે છે. આ રોગોમાં શરૂ શરૂમાં ક્યારેય લક્ષણો દેખાતા નથી.
જ્યાં સુધી પરિસ્થિતિ ખુબ વણસી ના જાય ત્યાં સુધી રોગીને તેની ખબર જ પડતી નથી. જેથી આપણે તેને વહેલી તકે પકડી પાડવું તે જ યોગ્ય ઉપાય છે. આપણા શરીરમાં ઘણા એવા ફેરફારો થવા લાગે છે જે કિડનીના રોગના સંકેત હોય છે.
જો આ ફેરફારોને યોગ્ય સમયે પારખી લેવામાં આવે તો વહેલી તકે તેનુ નિદાન થઈ શકે છે અને ગંભીર બીમારીમાંથી બચી શકાય છે. તો આજે જાણી લો શરીરમાં કેવા ફેરફાર થાય તો સમજવુ કે આ છે કિડની રોગના સંકેત.
શરીરમાં આ ફેરફાર જણાય તો સમજવુ કે કિડનીમાં તકલીફ હોઇ શકે…
1. ત્વચા પર ખંજવાળ અને ઘસરકા..
કિડનીનું કામ બગડતાં લોહીમાં અશુધ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકાના નિશાન જોવા મળે છે.
2. શ્વાસમાં દુર્ગન્ધ અને જીભમાં અપ્રિય સ્વાદ..
કિડનીમાં કોઈ સમસ્યા ઉદભવે તો લોહીમાં યુરિયાનું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધરૂપે મોઢામાં થતી લાળમાં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે. ઘણીવાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે.
3. પીઠ અથવા પડખામાં પીડા..
કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે. જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેઢુંના ભાગ સુધી પહોંચી શકે છે. આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઇ શકે છે, આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.
4. હાંફ ચઢવી..
કિડની રોગમાં ફેફસાંમાં એક પ્રકારનું પ્રવાહી/સ્ત્રાવ પેદા થાય છે અને તેને લીધે રક્તક્ષય, કિડનીના રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.
5. સતત નબળાઇ અને ભારે થાક..
આપણી કિડની એરાઈથ્રોપોટિન નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જે લાલ રક્ત કોશિકાઓ બનાવવા મદદ કરી શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે. કિડનીના રોગોમાં, એરાઈથ્રોપોટિનનો ઘટાડો થતાં લાલ રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે. શરીરનાં કોષોને ઓક્સિજન ઓછું મળે છે અને તેથી શરીરમાં નબળાઇ અને ભારે થાક લાગે છે.
6. ચક્કર આવવા અને એકાગ્રતામાં મુશ્કેલી.
કિડનીનાં રોગમાં રક્તક્ષય (લોહીનો અપૂરતો પુરવઠો) થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી આપણને ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે.
7. આખો દિવસ દરમ્યાન ઠંડી લાગવી..
જો તમને કિડનીનો રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢનો અનુભવ થાય. પાયલોનફ્રીટિસને લીધે તમને ઠંડીથી તાવ પણ આવી શકે છે.
8. પેશાબની પ્રક્રિયામાં ફેરફારો…
કિડની રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર. ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે ખાસ કરીને રાત્રિનાં સમયે. ક્યારેક ઘેરા રંગનુ પ્રવાહી પણ નીકળે. ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહી. પેશાબ દરમ્યાન પીડા થવી અથવા કરવામાં તકલીફ થવી, ક્યારેક એવું પણ બને કે પેશાબ કરવામાં જોર પડે, તકલીફ પડે અથવા ખૂબ પીડા થાય. પેશાબની નળીઓમાં (કે અવયવોમા) ચેપનાં કારણે દુઃખાવો અને સખત બળતરાં થાય. જ્યારે આ ચેપનો વિસ્તાર કિડની સુધી પહોંચે ત્યારે પીઠમાં દુખાવો અને તાવ આવવાની શરૂઆત થાય.
9. પેશાબમાં લોહી..
પેશાબમાં લોહી આવવું એ કિડની રોગનું એક ચોક્કસ લક્ષણ છે કે જે એક ચિંતાનો વિષય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે, પરંતુ જો આવા લક્ષણો દેખાય તો તે માટે તમારે ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે.
10. સોજો..
કિડની આપણા શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. જ્યારે તે આવું કરવા માટે અસમર્થ થાય, ત્યારે શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે અને આ સોજા આપણા હાથમાં, પગમાં, ઘૂંટી અને ચહેરા પર ઉપસી આવે છે.
11. ઉબકા અને ઊલ્ટી..
કિડનીનાં રોગને લીધે લોહીમાં જમા થતી અશુધ્ધિનાં કારણે ઉબકા અને ઊલ્ટી પણ થઇ શકે છે. તો અજમાવી જુઓ આ ઉપાય પથરી અને કિડનીના….
-કિડનીના રોગોથી બચવા વધુમાં વધુ પાણી પીઓ અને કોઈપણ સમસ્યા જણાય તો તરત જ ડોક્ટરને બતાવો.-લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
-ગોખરૂનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. -નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે. -દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમવામાં ઉપયોગ કરો, (આ એક કઠોળ છે) જે અક્સિર ઇલાજ છે. -પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો.
-તુલસીના બીજને હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી મૂત્ર પિંડમાં ફસાયેલી પથરી નિકળી જાય છે. – મહિનામાં પાંચ દિવસ નાની ચમચી અજમો લઈ પાણી સાથે પી જાઓ. -જો કિડનીની પથરી હોય અને પેશાબ અટકીને આવી રહ્યો હોય તો એક ગાજરને રોજ ખાવાથી ફાયદો મળે છે.
કિડની સ્ટોનની સમસ્યા માટે કારેલા..
કિડની સ્ટોનના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે. અર્થાત્ કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ડાયટમાં કારેલા જરૂર સામેલ કરો..
ઊંટડીનું દૂધ..
ઊંટડીના દૂધમાં મધુમેહ, અલ્સર, હૃદયરોગ, ગેંગરિન, કિડની સંબંધી બીમારીઓથી શરીરનો બચાવ કરવાની રોગપ્રતિકારક ક્ષમતા હોય છે. તે શરીરમાં એવી કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે જે સંક્રમણ રોગોની વિરૂદ્ધ એન્ટીબોડીઝના રૂપમાં કામ કરે છે.
જવનો ઉપાય..
એક મુઠ્ઠી ખાંડેલા જવ બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવા. ઊકળતા ઊકળતા એક ગ્લાસ પાણી રહે, ત્યારે ઉતારી ઠંડું પાડી ગાળીને આ પાણી સવારે અને રાત્રે તાજેતાજું બનાવી પીવાથી લાંબાગાળે દરેક પ્રકારની પથરી મટે છે