કોરોનાથી ડરવાની જરૂર નથી. કેમકે ભારતની પાસે છે ! ભારતની પ્રાચીન વિદ્યા એટલે આયુર્વેદ….
૬૦ વર્ષથી નીચેની વયનાં કોઈપણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયા વગર ઘરે રહીને જ સાજા થઈ શકે છે.
હું (ડો.નિકુંજ પટેલ) છેલ્લા ૧૦ દિવસથી સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર તરીકે નિસ્વાર્થ સેવા આપું છું.
ત્યાંની પરીસ્થિતિ જોતા એવું લાગે કે ૧૦૦ માંથી ૮૦ કોરોના દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ શકે એમ હતા, પરંતુ માનસિક ભયનાં લીધે તેઓ હોસ્પિટલમાં દાખલ થયેલ છે.
જો તમને શરદી, ખાંસી કે તાવની શરૂઆત લાગે છે, તો ૩ દિવસ નીચે જણાવ્યા મુજબ પરેજી રાખો-
પ્રથમ દિવસ – આખો દિવસ મગનું પાણી, ગરમ પાણી દર ૧/૨ કલાકે ૧ ઘૂંટ, સુંઠ /અજમાનો નાસ લેવો.
બીજો દિવસ- મગનો સુપ , સરગવાનો સુપ, ઘઉં/બાજરાની રાબ લેવી, ગરમ પાણી દર કલાકે ૧ ઘૂંટ, સુંઠ /અજમાનો નાસ લેવો.
ત્રીજો દિવસ- બાફેલા મગ, ઢીલી ખીચડી, ગરમ પાણી દર કલાકે ૧ ઘૂંટ, સુંઠ /અજમાનો નાસ લેવો.
કમજોરી જેવું લાગે, તો દિવસમાં ૨ વાર ૧/૨ ગ્લાસ લીંબુ પાણી કે ૧/૨ ગ્લાસ મોસંબી જ્યુસ લેવું.
આ સિવાય, સવારે વહેલા ઊઠી સૂર્ય સ્નાન, હલ્કી કસરત ૧૧ ઓમ્ કાર, પ્રાણાયામ કરવા.
શું ના કરવું?? દુધ,દહીં ન લેવું. બપોરે ન સૂવું. ઉજાગરા ન કરવા.( યાદ રાખો- પહેલા દિવસનાં લક્ષણ થી જ આયુર્વેદિક ડૉક્ટરનાં માર્ગદર્શન હેઠળ ૩ દિવસ પરેજી રાખવી અને આયુર્વેદ ડૉક્ટરની સલાહ પ્રમાણે આયુર્વેદિક દવા લેવી.) દ્વારા…. ડૉ. નિકુંજ પટેલ, આર્ષ આયુર્વેદ, અમદાવાદ