
સિહોરનું પવિત્ર ધામ એટલે કે પૂજ્ય મોંઘીબાની જગ્યા ખાતે મકરસંક્રાંતિના દિવસે બા મહારાજની પૂર્ણતિથીની ઉજવણી કરવામાં આવી હતી.

ઉજવણીના ભાગરૂપે મકરસંક્રાંતિના દિવસે બા મહારાજના શરણ પાદુકાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને વહેલા સવારે 9:30 કલાકે આરતી કરવામાં આવી હતી તેમ જ મહારાજની જગ્યા ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તો દ્વારા આ તિથિએ દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો જેમાં ભરતભાઈ ધોળકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા