Monday, October 2, 2023
Home Blog Page 2

હમીરસર તળાવ ભરાઈ જતા જાહેર રજા. જાણો! રાજાશાહી વખતની કચ્છની પરંપરા.

કચ્છના રાજવી રાવ હમીરજી એ પાટનગર ભુજ મા સુંદર ” હમીરસર ” તળાવનુ નિર્માણ કરાવ્યુ.

જે વરસે મેઘરાજાએ કચ્છ ઉપર મહેર કરી હોય અને હમીરસર તળાવ ઓગની જાય ( overflow ) થાય તો કચ્છ- ભુજની પ્રજા માટે રાજશાહીના વખતથી આજ દિવસ સુધી એક જાહેર ઉજવણીનો પ્રસંગ બની જાય છે.

રાજાશાહીમા કચ્છના રાજવી પોતાના દરબારી ઓ સાથે સવારી કાઢી ને હમીરસર તળાવ ની પાસે ” પાવડી” પાસે જઈ ને નવા નીરની વધાવી ને પૂજન કરતા.

નવા નીર મા શ્રીફળ , ચુંદડી, સોના – ચાંદીની વીંટી વગેરે પૂજન બાદ હમીરસરના ખોળે અર્પણ કરવામા આવતુ.
.
આ દિવસે કચ્છ રાજ્ય તરફથી એ દિવસે રજાની જાહેરાત થતી. સમગ્ર ભુજના નગરજનો હમીરસર તળાવની પાળ ઉપર આ પ્રસંગ ઉપર હાજર રહેતા.

ભુજમા આ દિવસે દરેકના ઘરે મિઠાઇ બનતી.

1947 મા ભારત આઝાદ થયા પછી લોકશાહી મા પણ આ પરંપરાઓ આજે પણ જીવંત છે.

ગઇકાલે કચ્છમા થયેલ ભારે વરસાદ ને કારણે ભુજના શણગાર સમાન ” હમીરસર ” તળાવ ઓગની ( overflow ) ગયેલ છે.

આજે કચ્છ- ભુજ ના રાજવી પરિવારની હાજરી મા ભુજ નગરપાલિકા ના પ્રમુખ ” હમીરસર ” તળાવ પર સરઘસ સાથે જઇ પરંપરાગત પૂજન કરી નવા નીરને વધાવશે.

કચ્છ કલેકટરશ્રી એ પણ આજે જાહેર રજા ડિકલેર કરેલ છે.

ચોમાસાની ઋતુ દરમ્યાન વીજળીના બનાવમાં લેવામાં આવતા સાવચેતીના પગલા

તમને જણાવી દઈએ કે, વાવાઝોડુ અને વીજળી મોટેભાગે સાથે જ થાય છે. વીજળીના એક ઝબકારામાં ૧,રપ,૦૦૦,૦૦૦ વોલ્ટ જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્બને ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા તો કોઈને ગંભીર ઈજા પહોંચાડવા માટે અથવા કોઈનું મોત નિપજાવવા માટે પૂરતું ગણાય.

વાવાઝોડ અને વીજળીના બનાવ વખતે કેવા પગલાં લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૃપ થાય છે. વીજળી એવી બાબત છે કે તમારે તેના પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ, જેથી આવા પ્રસંગે તાત્કાલિક સલામત આશ્રય શોધવો પડે.

વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્યપણે જરૃરી ન હોય તે સિવાય બહાર ન જશો. બારી, બારણા અને વીજળીના ઉપકરણોથી દૂર રહો. વીજળીના વાહક બને તેવા કોઈપણ ચીજવસ્તુથી દૂર રહો.

વાવાઝોડા દરમિયાન ટેલિફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી, બહાર આવેલી ટેલિફોનની લાઓનિ પર ત્રાટકી શકે છે. ખાસ આકસ્મિક્તા હોય તે પૂરતું જ ટેલિફોનનો ઉપયોગ કરો. સિન્ક, બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો.

જ્યારે આપ ઘરની બહાર હોવ તયારે વીજળીથી બચી શકાય તેવું આશ્રય શોધો. મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, પરંતુ આવું કોઈ મકાન આસપાસમાં મળે તો તમે કોઈ બખોલ, ખાઈ અથવા ગુફામાં રક્ષણ મેળવી શકો છો. વૃક્ષો યોગ્ય આશ્રય ગણાય નહીં. ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે. વૃક્ષનો આશ્રય ક્યારેય લેવો નહીં.

મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો. વાહનો વીજળીથી તમને સૌથી સારૃં રક્ષણ પૂરૃં પાડી શકે છે. જેનું છપરૃં મજબૂત હોય તેવી કાર/વાહનમાં રહો. ધાતુનું આવરણ ધરાવતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો નહીં. બાઈક, વીજળી અથવા ટેલિફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વગેરે સહિત ધાતુની ચીજવસ્તુઓથી દૂર રહો.

જ્યારે તમારા માથાના વાળ ઊભા થીઈ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટવક ઉપર છે તેમ સમજવું. તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સુવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.

વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૃર જણાય તો સીપીએમ (કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ અને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી અને હોસ્પિટલે પહોચડવા જોઈએ.

Bhavnagar Rath Yatra 2023: ભાવનગરમાં 38મી રથયાત્રા વાજતે-ગાજતે પૂર્ણ, જુઓ રથયાત્રાનો રમણીય દ્રશ્યો

ભાવનગર શહેરમાં 38મી રથયાત્રામાં પ્રથમ અખાડા અને અન્ય સંસ્થાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવ્યા હતા. અલગ અલગ સંસ્થા દ્વારા વિવિધ પ્રકારના દાવપેચ રજૂ કરવામાં આવ્યા હતા. ભાવનગર શહેરમાં 17 કિલોમીટરના માર્ગ ઉપર રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું.

જેમાં લાઠી ફેરવીને આત્મરક્ષણ કેમ કરવું તે કરતબ દ્વારા લોકોને દર્શાવવામાં આવ્યુ હતું. ત્યારબાદ હાથી અને છકરડાઓમાં ધર્મને લગતી ગદા, હળ, ભગવાન બનેલા લોકો જેવા પ્લોટ વગેરે ચીજો મૂકીને પ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.

જ્યારે 100થી વધારે ટ્રકમાં વિવિધ પ્રકારની સંસ્થાઓ, મિત્ર મંડળ દ્વારા પણ પ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે G20 સમિટનો પણ એક પ્લોટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં ભારત પ્રતિનિધિત્વ કરી રહ્યું છે તે દેશના નાગરિકો માટે સન્માનીય હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.