Friday, June 9, 2023
Home Blog Page 2

રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી ભરતી આવી રહી છે, જાણો! વિગત

રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૌથી મોટી ભરતી!..

રાજ્યમાં સિનિયર ક્લાર્ક, ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની 5400થી વધુ જગ્યા પર કરાશે ભરતી..

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ વિભાગો પાસે ખાલી જગ્યાઓની વિગતો મંગાવવામાં આવી..

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે પ્રથમ પરીક્ષા..

સુત્રોના જણાવ્યા પ્રમાણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રથમ વખત સમાન લાયકાતની પરીક્ષાઓ એક જ કરવાની વિચારણા

IMD Monsoon 2023: આ વર્ષે કેવો પડશે વરસાદ? ચોમાસા પર હવામાન વિભાગનો અંદાજ, અલ નીનોને લઇને આવ્યું આ એલર્ટ

IMD Monsoon 2023 : આ વર્ષે ચોમાસું કેવું રહેશે, ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર હોય છે. મોનસૂનને લઇને આ વર્ષે મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. આઈએમડીના મતે આ વર્ષે ચોમાસાની શરૂઆત જલ્દી થશે. મોસમ વિભાગના મતે આ વર્ષે એવરેજ 96 ટકા વરસાદ થશે.

મોસમ વિભાગે પ્રથમ વખત આ ભવિષ્યવાણી કરી છે. આ પહેલા પ્રાઇવેટ વેધર એજન્સી સ્કાયમેટે આ વર્ષે એવરેજ 94 ટકા વરસાદ પડવાનો અંદાજ લગાવ્યો હતો. સ્કાઇમેટે કહ્યું હતું કે જૂનથી સપ્ટેમ્બર મહિના વચ્ચે અવરેજથી ઓછો વરસાદ થઇ શકે છે.

આઈએમડી મોનસૂનની સ્થિતિ પર નજર રાખશે અને મે મહિનામાં વધુ એક અપડેટ જાહેર કરશે. જણાવી દઈએ કે સામાન્ય રીતે 25 મે થી 1 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થાય છે. ભારતમાં સૌથી પહેલા મોનસૂન તટીય કેરળમાં પહોંચે છે. આ પછી ધીરે-ધીરે આખા દેશમાં પહોંચે છે. પહેલા સ્ટાઇમેટની ચેતવણી પછી ખેડૂતો માટે થોડી નિરાશાભરી ખબર હતી પણ આઈએમડીના અંદાજથી થોડી રાહત મળી છે.

શું છે સામાન્ય વરસાદની એવરેજ
આઈએમડીના મતે જો વરસાદ LPA (લોંગ પીરિયડ એવરેજ)ના 90-95% વચ્ચે હોય તો તેને સામાન્યથી ઓછો કહેવાય છે. LPA 96-104% વચ્ચે હોય તો સામાન્ય વરસાદ કહેવાય છે. LPA 104-110% વચ્ચે હોય તો તે સામાન્યથી વધારે વરસાદ કહેવાય છે. 110% થી વધારે હોય તો વધારે વરસાદ અને 90% હોય તો ઓછો વરસાદ એટલે દુષ્કાળ કહેવાય છે.

આ પણ વાંચો – દેશની હાલાતથી લઇને અદાણી સુધી… સોનિયા ગાંધીએ મોદી સરકાર પર લગાવી દીધી આરોપોની વણઝાર

ભારતના લગભગ અડધાથી વધારે ખેડૂતો પોતાના ખેતરમાં ચોખા, મકાઇ, શેરડી, કપાસ અને સોયાબીન જેવા પાકો ઉગાડવા માટે વાર્ષિક જૂન-સપ્ટેમ્બરના વરસાદ પર નિર્ભર કરે છે. જોકે બીજી તરફ સ્કાઇમેન્ટને અંદાજો છે કે દેશના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની અછતનો ખતરો બની રહેશે.

અલ નીનોની પણ જોવા મળે છે અસર
આઈએમડીના મતે અલ નીનોની પણ અસર પડી શકે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર જોવા મળી શકે છે. સેન્ટ્રલ અને ઇસ્ટર્ન પેસિફિક ઓશન વિસ્તારને ગરમ થવાને અલ નીનો કહેવાય છે. આમ થવા પર આખી દુનિયાના મોસમ પર અસર પડે છે.

અવિશ્વનીય કિસ્સો: 14 દિવસનું બાળક થયું પ્રેગ્નેન્ટ ! પેટમાંથી મળ્યા 3 ભ્રૂણ,તપાસ કરતા ડૉક્ટરોની પણ આંખો પહોળી રહી ગઈ

14 દિવસનું બાળક યોગ્ય રીતે પેશાબ કરી શકતું ન હતું. આવી સ્થિતિમાં પરિવાર બાળકીને ડોક્ટર પાસે લઈ ગયો. જ્યારે ડોકટરોએ તપાસ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે બાળકના પેટમાં એક ભ્રૂણ હતું. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

દુનિયામાં ક્યારેક એવી ઘટનાઓ બને છે કે લોકો સાંભળીને પોતાનું માંથુ પકડી લે છે. આવી જ એક ઘટના અગાઉ બિહારના મોતિહારી જિલ્લામાં જોવા મળી હતી.જેમાં તપાસમાં ડોક્ટરોને માત્ર 40 દિવસના બાળકના પેટમાં ભ્રૂણ મળી આવ્યું હતું.

પણ હાલમાં જ ઉત્તર પ્રદેશની વારાણસીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ડોક્ટરો પણ આશ્ચર્યમાં મુકાયા છે. BHUના ડોક્ટરોએ 14 દિવસના બાળકનું ઓપરેશન કરી પેટમાંથી ત્રણ ભ્રુણ બહાર કાઢ્યા છે.

7 ડોક્ટરોની ટીમ દ્વારા 3 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું, જેમાં સફળતા મળી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર જન્મ સમયે બાળકનું વજન 3.3 કિલોગ્રામ હતું, જોકે ઓપરેશન કર્યા બાદ બાળકનું વજન 2.8 કિલોગ્રામ થઈ ગયું છે.

BHUના ડૉ.શેત કચ્છપે જણાવ્યું કે, મઉ જિલ્લાના રહેવાસી દંપત્તિ તેમના 10 દિવસના બાળકોને લઈને BHU આવ્યા હતા. આ બાળકને સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જ્યારે બાળકનું અલ્ટ્રાસાઉન્ડ કરાયું ત્યારે તેના પેટમાં ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતની ખાતરી કરવા માટે સીટી સ્કેન પણ કરાયું હતું, ત્યારે બાળકના પેટમાં ગર્ભ હોવાનું જાણવા મળતાં ડોક્ટરો આશ્ચર્યમાં મુકાતા હતા.

5 લાખમાંથી 1 બાળકમાં જોવા મળે છે આ સમસ્યા

3 દિવસની સારવાર બાદ સોમવારે સર સુંદરલાલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે બાળકનું ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન કાઢવામાં આવેલા ભ્રૂણ અલગ-અલગ અવસ્થામાં મળી આવ્યા હતા. ડૉ.ગ્રીષ્માએ જણાવ્યું કે, આ રોગ ખૂબ જ અસામાન્ય છે. આવી સમસ્યા 5 લાખ લોકોમાંથી 1 બાળકમાં જોવા મળે છે. માતાની પ્રેગનન્સી દરમિયાન જ ગર્ભ બાળકના પેટમાં પ્રવેશે છે તેમજ આ ભ્રુણનો વિકાસ થતો નથી.

ડોક્ટરોની આ ટીમે કર્યું સફળ ઓપરેશન

ડો.રુચિરાના નેતૃત્વમાં ડો.શેત કચ્છપ, ડો.ચેતન, ડો.ગ્રીષ્મા ઉપરાંત એનેસ્થેસિયા ડો.અમૃતા, ડો.આભા અને રિતિકાના સહયોગથી બાળકનું સફળ ઓપરેશન કરાયું હતું. ઉપરાંત આ બાળકનું ઓપરેશન BHUની સર સુંદરલાલ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરવામાં આવ્યું છે.