Friday, June 9, 2023
Home Blog Page 3

તમારી દીકરીને લખપતિ બનાવશે આ સુકન્યા યોજના સરકારે વ્યાજમાં કર્યો વધારો

તમારી દીકરીને લખપતિ બનાવશે સુકન્યા યોજના : 8% સુધીનું વ્યાજ મળે છે, જાણો, આમાં ઇન્વેસ્ટ કરવાનું ગણિત –

સરકારે 1 એપ્રિલથી સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજમાં વધારો કર્યો છે. હવે આ સ્કીમમાં રોકાણ કરવા પર વાર્ષિક 8% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

જો તમે પણ તમારી દીકરીના ભવિષ્યને આર્થિક સુરક્ષા આપવા માગો છો, તો તમે તેના નામે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો.

આ સ્કીમથી તમે તમારી દીકરી માટે લાખો રૂપિયાનું ફંડ સરળતાથી તૈયાર કરી શકો છો.

આજે અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ સમાચાર અત્યારે વિગતવાર વાંચો દિવ્ય ભાસ્કર એપ પર

ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો અટેક છતાં છેલ્લી ઘડી સુધી નિભાવી ડ્યુટી, બચાવ્યા મુસાફરોના જીવ

સોમનાથથી રાધનપુર જતી ST બસના ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

છાતીમાં દુખાવો છતાં ડ્રાઇવર હિંમત હાર્યો વગર તેને બસને સલામતપૂર્વક ડેપો સુધી પહોંચાડી હતી અને બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો હતો.

પાટણના રાધનપુરમાં પણ હાર્ટ એટેકથી ST ડ્રાઇવરનુ મોત નિપજ્યું છે. સોમનાથથી રાધનપુર જતી ST બસના ડ્રાઇવરને ચાલુ બસે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

છાતીમાં દુખાવો છતાં ડ્રાઇવર હિંમત ન હાર્યો અને બસને સલામતપૂર્વક ડેપો સુધી પહોંચાડી અને બસમાં સવાર મુસાફરોનો જીવ બચાવ્યો હતો. જોકે મુસાફરોનો જીવ બચાવનાર ડ્રાઇવર જીંદગી સામે હારી ગયો હતો.

Pushpa 2 Trailer: અલ્લુ અર્જુનનો નવો અવતાર કોઈના પણ રુંવાડા ઉભા કરી દે તેવો, 3 મિનિટના ટ્રેલર પર શું ખુલી ગયો સસ્પેન્સ?

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ બોક્સઓફિસ સહિત વિશ્વભરમાં તાબડતોડ કમાણી કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક્સ, તેના ડાયલોગ્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા.

ઈન્ડિયા લેવલ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારે હવે ફેન્સ પુષ્પાના બીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે ફિલ્મ નિર્માતા દ્વારા 7 એપ્રિલના રોજ ‘પુષ્પા 2’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ ટ્રેલર કેટલુ દમદાર અને દર્શકોનો પ્રતિસાદ કેવો છે?

ટ્રેલરની શરૂઆત રસપ્રદ
ટ્રેલરની શરુઆત પુષ્પા તિરુપતિ જેલથી ફરાર થઈ ગયો હોય ત્યાંથી થાય છે. તેને 8 ગોળી વાગી છે સાથે જ તેના જીવિત રહેવાની આશા ના બરાબર છે. આ ખબર સામે આવતા જ ‘પુષ્પા’ના સમર્થકો રોષે ભરાયા છે.

જુઓ : ઑફિસિયલ પુષ્પા ૨ નું ટેઈલર

લોકો વિરોધ પ્રદર્શન કરીને જણાવી રહ્યા છે કે પુષ્પાની મદદથી કોઈ બાળકને નવું જીવન તો કોઈને રહેવા માટે છત મળી છે. એક તરફ પુષ્પાના ચાહકો તેના નારા લગાવી રહ્યા છે.તો બીજી તરફ પોલીસ તેમના પર લાઠીચાર્જ કરી અને પાણી વરસાવી રહ્યા છે. દરેકના મનમાં એક જ સવાલ છે, ‘પુષ્પા ક્યાં છે?’