ડૉક્ટર દુર્ગા દ્વારા ‘કોરોનાસુર’નો વધ.
પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસની વચ્ચે પણ દુર્ગાપૂજાનો માહોલ જામ્યો છે.
અને દુર્ગાપૂજાના મંડપ સ્થાપવામાં આવ્યા છે.
આ તસવીર કોલકતાના એક મંડપની છે, જ્યાં દુર્ગાની પ્રતિમાને ડૉક્ટરનું સ્વરૂપ
આપવામાં આવ્યું છે.
અને તેઓ કોરોનાવાઇરસનો રૂપ ધારણ કરી ચૂકેલા મહિષાસુરનો એક મોટા ઇન્જેક્શનની મદદથી વધ કરી રહ્યાં છે.