Monday, October 2, 2023
Home Health શુ પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી કે પ્લાસ્ટિકની થેલીમાં ચા લાવવાથી કેન્સર થઈ...

શુ પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી કે પ્લાસ્ટિકની થેલીમાં ચા લાવવાથી કેન્સર થઈ શકે છે? વાંચો પૂરી માહીતી

મિત્રો આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શરીરનું ધ્યાન આપતા નથી.અને પૈસા કમાવામાં એટલા પાગલ બની જાય છે કે તેઓ રાત્રે સારી રીતે ઉંઘી પણ સકતા નથી.

અને પાછળથી શરીર અને સ્વાસ્થ્ય ને લઈને અને પરેશાનીઓ ઉભી થાય છે.જેને માટે તેઓ અનેક બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કરે છે.આમ તો આ દવાઓ કંઈપણ સારું રિઝલ્ટ આપતી નથી અને ઉપરથી શરીરને કોઈક વાર નુકસાન પણ થાય છે.

મિત્રો તમારે આ માટે તમારા બીજી જીવનમાંથી થોડો ટાઈમ કાઢી અને ડોકટરો જણાવ્યા પ્રમાણે વ્યાયામ અને કંઈક ઘરેલુ ઉપચાર અવશ્ય કરવા જોઈએ.

ભારતમાં લાખો લોકો ચા પીને તેમના દિવસની શરૂઆત કરે છે. ચા માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકોની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. દિવસમાં 3 ,4 કપ ચા પીવી એ ઘણા લોકોની ટેવ બની ગઈ છે.

પરંતુ શું તમે જાણો છો કે આ ચા તમારી જીંદગી પણ લઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમે પ્લાસ્ટિકના કપમાં ચા પીતા હોવ.

જો તમે પ્લાસ્ટિકના કપમાં ચા પીતા હોવ તો ચોક્કસપણે આ સમાચાર વાંચો. મોટાભાગે ન્યૂઝ ચેનલોમાં એવું અહેવાલ આવે છે કે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી આપણને કેન્સર થઈ શકે છે.પરંતુ શું તે ખરેખર કેન્સરનું કારણ બની શકે છે.

પ્લાસ્ટિકમાંથી ખરેખર કેન્સર થઈ શકે છે?. આ અંગે ડોકટરોએ જણાવ્યું હતું કે તાજેતરના સંશોધનથી સ્પષ્ટ થયું નથી કે પ્લાસ્ટિકના કપમાં ચા પીવાથી કે પ્લાસ્ટિકના વાસણમાં ખોરાક ખાવાથી આપણને કેન્સર થઈ શકે છે. પ્લાસ્ટિકના કપ કે પ્લાસ્ટિકની બેગમાં ગરમ ચા મૂકવાથી તેના રસાયણો ચામાં ભળી શકે છે,

જો કે, તેમણે ચોક્કસપણે કહ્યું હતું કે જો આપણે નબળી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ તો તે કેટલાક રોગોનું કારણ બની શકે છે. પરંતુ કેન્સર થશે તેવુ ચોક્કસ સંશોધન થયું નથી જણાવ્યું.

કેટલાક રોગો થઈ શકે છે. હકીકતમાં, ડોકટરો કહે છે કે જો આપણે પ્લાસ્ટિકના કપ, બોટલ અને વાસણોનો લાંબા સમય સુધી ઉપયોગ કરીએ, તો તેને બનાવવા માટે વપરાતા રસાયણો આપણા ખોરાક અને પીણામાં સરળતાથી ઓગળી જાય છે અને આપણા શરીરમાં જાય છે. છે. ડોક્ટર આગળ સમજાવે છે કે આ પ્રક્રિયા થવામાં લાંબો સમય લાગે છે.

ટૂંકા સમય પછી બદલો.જો તમે નબળી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકથી બનેલા પોટ,કપ અથવા બોટલનો ઉપયોગ કરો છો, તો આ પ્રક્રિયા થોડી વહેલી શરૂ થાય છે.આ આપણને પાચનતંત્રને લગતી સમસ્યા પેદા કરી શકે છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે આપણે લાંબા સમય સુધી આ બધી વસ્તુઓનો ઉપયોગ ન કરીએ. થોડા સમય પછી આપણે તેમને બદલવું જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments