પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે સાંજે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.
થોડા દિવસો પહેલાં, પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ આવ્યા હતા, તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજીના મોતની માહિતી આપી હતી.
પ્રણવ મુખરજી કોરોના વાયરસ પોઝીટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તેજ હાલતમાં તેમની મગજની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી 2012 માં દેશના રાષ્ટ્રપતિ બન્યા, 2017 સુધી તેઓ રાષ્ટ્રપતિ હતા. વર્ષ 2019 માં તેમને ભારત રત્ન એનાયત કરાયો હતો.
With a Heavy Heart , this is to inform you that my father Shri #PranabMukherjee has just passed away inspite of the best efforts of Doctors of RR Hospital & prayers ,duas & prarthanas from people throughout India !
I thank all of You 🙏— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020
પ્રણવ મુખર્જીની તબિયત ખરાબ હોવાને કારણે 10 ઓગસ્ટે દિલ્હીની આરઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મગજમાં લોહીના ગાંઠ થઈ ગયા પછી આ સર્જરી કરવામાં આવી હતી.
I was new to Delhi in 2014. From Day 1, I was blessed to have the guidance, support and blessings of Shri Pranab Mukherjee. I will always cherish my interactions with him. Condolences to his family, friends, admirers and supporters across India. Om Shanti. pic.twitter.com/cz9eqd4sDZ
— Narendra Modi (@narendramodi) August 31, 2020
PM મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું હતું કે પ્રણવ મુખર્જીના નિધનથી આખો દેશ દુ:ખી છે, તેઓ સ્ટેટ્સમેન હતા. જેમણે રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રના દરેક વર્ગની સેવા કરી છે.
પ્રણવ મુખર્જીએ તેમની રાજકીય કારકીર્દિ દરમિયાન આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રે ફાળો આપ્યો. તે તેજસ્વી સાંસદ હતા જેમણે હંમેશાં સંપૂર્ણ તૈયારી સાથે પ્રતિસાદ આપ્યો હતો.
સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
પ્રણવ મુખર્જીના નિધન પર સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
ભારત સરકારે આ દુ:ખદ ઘટના પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.