આ છે આપણું ગુજરાત….
રાજસ્થાનથી ઘાસચારાની શોધમાં પોતાના ઢોરઢાંખર લઈને ગુજરાત આવ્યા છે. ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી ત્યારે ગાયો ભૂખથી તરફડતી જોઈને ગુજરાતના બનાસકાંઠાના લાખાણીના ખેડૂતે પોતાના બાજરીના ઊભા પાકમાં ગાયોને ચરવા દીધી હતી. પોતાના પરિવારજનોને અન્ન કેવી રીતે આપશે તેની પણ ચિંતા કર્યા વગર તેણે જીવદયા પ્રેમનો ઉત્કૃષ્ઠ નમૂનો આપ્યો હતો.
આવા દયા દિલ આજકાલ બહુ ઓછા જોવા મળે છે, તેવી જ રીતે ભાવનગરના એક ખેડૂતે પોતાના આખા ખેતરમાં લીમડા ઝાડ વાવી પર્યાવરણ પ્રેમીઓને પણ બહુ સારો મેસેજ આપ્યો છે..