શનિવારની રાત્રે પોતાના શરીરના આ અંગ પર બાંધો કાળો દોરો, ખુલી જશે નસીબ, રહેશે શનિદેવની કૃપા!
હિંદુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાઓ છે. દરેકનું અલગ અલગ મહત્વ છે. એમાંથી એક છે શનિદેવ. શનિદેવ અત્યંત વિશિષ્ટ દેવ છે. તે ગ્રહ પણ છે અને દેવતા પણ. એમનો પ્રભાવ એવો છે કે તે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. તે કર્મફળ દાતા છે.
કર્મોના આધાર પર તે વ્યક્તિને ફળ આપે છે. સૂર્યપુત્ર શ્રી શનિદેવ મૃત્યુલોકના એવા સ્વામી છે, અધિપતિ છે,
જે સમય આવવા પર વ્યક્તિના સારા કર્મોનું ફળ એમને આપે છે, અને ખરાબ કર્મોના આધાર પર એમને દંડ આપી સુધારવા માટે પ્રેરિત કરે છે.
આજે અમે તમને એમના સંબંધિત એક ઉપાય જણાવવાં જઈ રહ્યા છીએ. જે તમારા બંધ નસીબ ખોલવા મદદ કરી શકે છે.
તમે ઘણા બધા લોકોના શરીર પર કાળો દોરો બાંધેલો જોયો હશે. હિંદુ ધર્મમાં કાળા દોરાનું ઘણું મહત્વ છે.
અને એને હિંદુ માન્યતાઓમાં ઘણા વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. કાળા દોરાને કોઈની પણ ખરાબ નજરથી બચાવવા વાળો માનવામાં આવે છે.
તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં પણ એનું ઘણું મહત્વ છે.
એના અનુસાર કાળો દોરો એ દોરો છે, જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, તો એ મનુષ્યને ગરીબીથી અમીરી તરફ લઈ જઈ શકે છે. માટે જો તમે પણ શરીર પર કાળો દોરો બાંધો છો, પણ એને કઈ રીતે અને ક્યાં બાંધવાનો છે એ નથી જાણતા, તો આજે અમે તમને જણાવીશું કે શરીરના કયા અંગ પર કાળો દોરો બાંધવાથી તમને ફાયદો થશે.
એના માટે સૌથી પહેલા એક કાળો દોરો લો. અને એ દોરામાં 9 ગાંઠ બાંધી દો. શનિવાર અથવા મંગળવારના દિવસે તમે એને પોતાના જમણા હાથના કાંડા પર બાંધી દો. એને ઓછામાં ઓછું ત્રણથી સાત અઠવાડિયા સુધી બાંધીને રાખો, અને નિશ્ચિત રહો કે એની બરકતથી તમારી બધી ગરીબી દૂર થઈ જશે. એનો ફાયદો તમને એક અઠવાડિયાની અંદર જ જોવા મળશે.
જણાવી દઈએ કે કાળો દોરો બાંધવાનો અર્થ એ નથી થતો, કે તમે એને બાંધીને ચુપચાપ ઘરમાં બેસી જાવ અને પૈસાનો વરસાદ થવાની રાહ જોતા રહો. કાળો દોરો એનું કામ જરૂર કરશે, પણ તમારે મહેનત તો કરવી જ પડશે. કાળો દોરો ફક્ત એમાં બરકત કરશે જેથી તમારું કામ વધારે સરળ થઈ જશે.