Thursday, November 30, 2023
Home Job તલાટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર : રાજ્ય સરકાર દ્વારા તલાટીની લેખિત પરીક્ષા 30...

તલાટીની પરીક્ષાની તારીખમાં ફેરફાર : રાજ્ય સરકાર દ્વારા તલાટીની લેખિત પરીક્ષા 30 એપ્રિલના બદલે હવે 7 મેના લેવાનો નિર્ણય કરાયો

ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે
મંત્રીએ ઉમેર્યું કે, ભૂતકાળમાં પણ રાજ્યનાં વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે.

જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં ઘણો સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે. આથી આ બાબતને ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય

તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહીં તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય.

આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહીં એમ મંત્રીએ ઉમેર્યું હતું

RELATED ARTICLES

Most Popular

Recent Comments