Monday, October 2, 2023
Home Health હાલ ભારતમાં કેન્સરના કેસો વધારે જોવા મળે છે, ત્યારે વિશ્વ તમાકુ નિષેધ...

હાલ ભારતમાં કેન્સરના કેસો વધારે જોવા મળે છે, ત્યારે વિશ્વ તમાકુ નિષેધ દિવસના રોજ એક વિંનતી..

હાલ ભારતમાં કેન્સરના કેસો વધારે જોવા મળે છે, ત્યારે વિશ્વ તમાકુ નિષેધ દિવસના રોજ એક વિંનતી.

👉વિશ્વમાં દર વર્ષે ૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

👉વિશ્વ તમાકુ નિષેધ દિવસ 1987 થી વિશ્વ સંગઠન દ્વારા ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આજના દિવસે ધુમ્રપાન અને તમાકુથી થતી આડઅસરો વિશે સમજાવવામાં આવે છે.

👉આપણા દેશમાં વ્યસનમુક્તિ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

👉સરકારે વ્યસન મુક્તિ અભિયાન પણ ચાલુ કરેલ છે.

👉દર વર્ષે 55 લાખ લોકોના મૃત્યુ વ્યસનના કારણે થાય છે .જેમાં નવ લાખ લોકો તમાકુના કારણે કેન્સરનો ભોગ બનેલા હોય છે.

👉તમાકુના કારણે ગળાનું કેન્સર મોઢાનું કેન્સર દાંત ને લગતા રોગો હાર્ટ એટેક શારીરિક ક્ષમતા નબળી પડવી વગેરે જેવા રોગો થાય છે.


👉તમાકુનું સેવન કરનારા માનતા હોય છે કે તેને છોડવું અઘરું છે પરંતુ દ્રઢ મનોબળ થી તથા પરિવારજનો અને મિત્રોના સહયોગથી આ દૂષણ માંથી મુક્તિ મેળવી શકાય છે.

👉આજના સમયમાં જેટલા લોકો એક્સિડન્ટથી મૃત્યુ પામે છે તેના કરતા ત્રણ ગણા વધારે લોકો વ્યસનના કારણે મૃત્યુ પામે છે.

👉એક મિનિટમાં વિશ્વમાં 7 લોકો સિગારેટ પીવાથી મૃત્યુ પામે છે.

👉આપનું જીવન અમૂલ્ય છે માટે વ્યસન છોડી જીવન બચાવો.

– ડો. રાજુ લાઢવા

RELATED ARTICLES

Most Popular

Recent Comments