Monday, October 2, 2023
Home Health વાયરલ બિમારી અને કોરોનાના કેટલાક લક્ષણોમાં સામ્યતા હોવાથી જાતે દવા ન લેવી...

વાયરલ બિમારી અને કોરોનાના કેટલાક લક્ષણોમાં સામ્યતા હોવાથી જાતે દવા ન લેવી હિતાવહ..

વાયરલ બિમારી અને કોરોનાના કેટલાક લક્ષણોમાં સામ્યતા હોવાથી જાતે દવા ન લેવી હિતાવહ..

બેવડી ઋતુમાં તબીબોની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ, જો કોરોના પોઝીટીવ હોય તો ઘરના અન્ય સદસ્યોને પણ સંક્રમણ નો ભય રહે છે

Image Source
સિહોર સાથે જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય તાપ અને મોડી રાત્રે અનુભવાતા બેવડી ઋતુના કારણે સીઝનલ વાયરલ ઈન્ફેકશનની બીમારીનું પ્રમાણ વધ્યું છે.

Image Source

આવી બીમારીઓમાં પણ કોરોનાને લગતા લક્ષણો છે. તેને લઈને દર્દીઓ ભીતી સેવી રહ્યા છે. આવા સંજોગોમાં જાતે દવા લેવાથી ખતરો વધી શકે છે.

Image Source

તાવ, ખાંસી અને ગળામાં દુખાવો કે શરીરમાં કળતર જેવા લક્ષણો આ વાયરલ બીમારીમાં સામાન્ય હોવાથી સચોટ ઈલાજ ન થતા સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે નિષ્ણાંત તબીબોની સલાહ જરૂરી બને છે.

Image Source

જિલ્લામાં છેલ્લા છ માસથી કોરોનાના કેસ વધવા સાથે ઘણા દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આવામાં સંક્રમણાથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઋતુ સંક્રમણના કારણે વાયરલ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

Image Source

કેટલાક કિસ્સામાં વાયરલ ઈન્ફકેશનની બીમારીમાં કોરોનાના ભય હેઠળ દવાખાને દોડી તબીબ પાસે સારવાર કરાવે છે.

Image Source

તો કેટલાક લોકો ખરેખર કોરોના હોય તો સામાન્ય તાવ ગણીને દર્દીઓ શરૃઆતના કેટલાક દિવસો જાતે જ દવા લેવાનું શરૂ કરી દે છે.

Image Source

જેમાં કેટલાક વખત જે બિમારી હોય તે વકરે છે અને તેની અસરકારક સારવાર થવામાં વિલંબ થઈ જાય છે. ઉપરાંત કોરોના હોય તો ઘરના અન્ય સદસ્યને પણ સંક્રમણનો ખતરો ઉભો થાય છે.

Image Source

વર્તમાન સમયમાં સામાન્ય વાયરલ બીમારી સમજીને દર્દીએ જાતે દવા લેવાનું ટાળવું જોઈએ. જો કોરોનાના લક્ષણો લગતા હોય તો કોરોના ટેસ્ટીંગની સુવિધા ઉભી કરાઈ છે ત્યાં સરકારના નિયમોની ચુસ્ત અમલવારી માસ્ક પહેરવું,

Image Source

સામાજીક અંતર જાળવવું અને પહેલા ટેસ્ટ કરાવી લેવું જોઈએ જેથી કોરોના છે.

Image Source

તે સ્પષ્ટ થઈ જાય અને જો કોરોના નેગેટીવ હોય તો અન્ય બીમારી અંગે પણ ટેસ્ટ કરાવી અને એ મુજબની સારવાર કરાવી શકાય અત્રે ઉલ્લેખનિય છે કે,

Image Source

કોરોના સિવાયની બીમારી લાગતી હોય તો તેને લગતા ટેસ્ટીંગ પણ કરાવવામાં ઢીલાશના બદલે સત્વરે કરાવી અને નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર કરાવી શકાય પરંતુ સામાન્ય બીમારી સમજીને જાતે દવા-ગોળી લઈ લેવા હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments