આયોધ્યામાં 492 વર્ષ બાદ ત્રેતાયુગ જેવો નજારો!
સરયૂ તટ ઉપર 5.84 લાખ દિવાથી વર્લ્ડ રેકોર્ડ બન્યો અયોધ્યાઃ રામનગરી અયોધ્યામાં (Ayodhya) દિપાવલીના (Diwali) આવરસ ઉપર ભવ્ય દિપોત્સવનું (Dipotsav) આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર ઉપર અયોધ્યાના ઘાટ ઉપર રોનક જોવા મળી હતી.
કોરોના વાયરસ સંક્રમણના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળું આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. જેને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ દિપોત્સવની વેબસાઈટ પણ સરકારે લોન્ચ કરી હતી.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય શરુ થયા બાદનો આ પહેલો દિપોત્સવ છે. આ દરમિયાન અહીં 5.84 લાખથી વધારે દિવડાઓ પ્રગટ્યાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે